યોગગુરુ બાબા રામદેવ અને અન્ના હજારેના અનશન બાદ ફરીથી ભારતનું ધ્યાન અનશન પર ગયું છે. ભારતીય આધ્યાત્મમાં ઉપવાસનું અત્યંત મહત્વ છે. પરંતુ આ ઉપવાસનો રાજકીય ઉદેશ્ય માટે શસ્ત્ર તરીકે ઉપયોગ એટલે અનશન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અનશનનું શસ્ત્ર આઝાદીની ચળવળ દરમિયાન કમજોર ભારતીયોના હાથમાં આપ્યું છે. તેમણે તે વખતે કહ્યું હતું કે સત્યાગ્રહી માટે અનશન એ તમામ અહિંસક વિકલ્પો ખતમ થઈ જાય ત્યારે બાકી રહેલુ અંતિમ શસ્ત્ર છે. ગાંધીજીના વિચારોમાં સત્ય અને અહિંસાનું મૂલ્ય હતું. પરંતુ આ દેશનું કમભાગ્ય છે કે સત્ય અને અહિંસાની અલખ જગાવનાર વ્યક્તિ આ દેશની સત્તા પર આવ્યો નહીં, જો કે તેમને પોતાને પણ સત્તા સંદર્ભે કોઈ લોલુપતા હોય તેમ તેમના જીવન પરથી લાગતું નથી.
પરંતુ ગાંધીજીના જે અનુયાયીઓ સત્તામાં ગયા, તેમને સત્તામાં ગયા પછી ખબર પડી કે સત્તા અસત્ય અને હિંસાથી ચાલે છે. તેમા તેમને પોતાનો ફાયદો પણ દેખાયો. સત્તાને હિંસા અને અસત્યથી ચલાવવા માટે સત્તામાં આવેલા ગાંધીવાદીઓએ બેવડું વ્યક્તિત્વ ગ્રહણ કરી લીધું. તેઓ રોજે રોજ હિંસામાં ઉંડા ઉતરતા ગયા, અસત્યમાં જીવવા લાગ્યા. જો કે આ ગાંધીવાદીઓએ વાતો સત્ય અને અહિંસાની વધુ જોરથી કરવા માંડી. એટલા જોરથી કરવી જરૂરી હતી, જેથી તેઓ જે કરી રહ્યા છે, તે છુપાય જાય.
63 વર્ષની આઝાદીમાં હિંદુસ્તાનની અહિંસક સરકારે જેટલી હત્યા અને ખૂન કર્યા છે અને જેટલી ગોળીઓ ચલાવી છે, તેટલી દુનિયાની કોઈપણ હિંસાવાદી સરકાર પણ આટલી હિંસા કરવાનો દાવો કરી શકે તેમ નથી. ઉપર ઉપરથી અહિંસાની વાત ચાલતી રહી અને અંદરખાને હિંસાનો નગ્ન નાચ ચાલ્યો. બહારથી સત્યની વાત કરાતી રહી, પરંતુ અંદર ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો. ભારતમાં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ સત્તાની દોડમાં ગાંધીવાદીઓએ તમામ પ્રકારના અસત્યનો સ્વીકાર કરી લીધો છે. અપરિગ્રહ અને દરિદ્રતાના વરણની વાતો ચાલતી રહી અને તમામ પ્રકારની સંપત્તિ અને બધાં પ્રકારના લોભ તથા પરિગ્રહ કામ કરતા ચાલ્યા ગયા.
યુદ્ધ લડતી સેનાનું મુખ્ય લક્ષ્ય વિજય હોય છે. માત્ર એ જ યુદ્ધકળા સાચી હોય છે કે જે ન્યાય પક્ષની ઓછામાં ઓછી અને અન્યાય પક્ષની વધુમાં વધુ હાનિ કરે છે. ક્યારેક બલિદાન પણ આ યુદ્ધકળાનું એક અત્યંત જરૂરી ઘટક હોય છે, પરંતુ તે અપવાદના રૂપમાં સ્વીકારી શકાય, નિયમ તરીકે નહીં. પરંતુ માત્ર બલિદાનથી જ નિશ્ચિતપણે વિજય મળી જશે તેવું કહી શકાય નહીં. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેમાં સીતાના અપહરણ કરવાની દુષ્ટતા અને નીચતા હતી, તે વખતે જો રાવણની સામે રામે ઉપવાસ કરીને પ્રાણ આપવાની વાત કરી હોત તો નઠારા રાવણનું હ્રદય પીગળી જાત? ના! માટે જ રામે અન્ન-જળનો ત્યાગ કરવાની વાત કરી ન હતી. તેમણે રાવણના મોઢામાંથી કોળિયો છીનવીને તેને ભૂખ્યો મારવાની તૈયારી કરી હતી. સીતાએ પણ, અશોક વનમાં પોતાને ભોજન જોઈએ અથવા યોગ્ય સમ્માન જોઈએ, નહીં તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરીને મરી જશે, તેવી કોઈ પ્રતિજ્ઞા કરી ન હતી. કારણ કે તેમનું મુખ્ય લક્ષ્ય રામ દ્વારા રાવણનો નાશ કરવો અને તેના માટે અન્ન-જળનો ત્યાગ કરવાનું કૃત્ય બિનજરૂરી અને હાનિકારક હતું. સીતાએ એક પ્રતિજ્ઞા અવશ્ય કરી હતી કે તેમનું પ્રીતિ સ્વાતંત્ર્ય પાતિવ્રત્ય અબાધ રહે. આ પ્રતિજ્ઞા પર આંચ આવવાથી પણ પ્રાણ બચાવવાનો અર્થ મુખ્ય લક્ષ્યથી વિચલિત થવાનો હતો. આવી સંભવિત સ્થિતિમાં સીતા મોતને વહાલું કરીને પણ પોતાની પ્રતિજ્ઞા નિભાવત. ગુરુ તેગ બહાદૂર, બંદા વીર, સંભાજી મહારાજનું મુખ્ય લક્ષ્ય સ્વધર્મ રક્ષણ હતું. આ લક્ષ્ય માટે પ્રાણ આપવા જ્યારે જરૂરી થઈ પડયા ત્યારે તેમણે જીવનનો ત્યાગ કર્યો અને તે પરિસ્થિતિમાં તે યોગ્ય પણ હતું.
સ્વાતંત્ર્ય વીર સાવરકરે અન્ન-જળ ત્યાગવાની વાતનો પ્રખર વિરોધ કર્યો હતો. તેમના માનવા પ્રમાણે, પ્રાણહાનિ માટે પ્રાણહાનિ અનિષ્ટકારક છે. આ દ્રષ્ટિથી અન્ન-જળ છોડીને મરી જવાની નવી પરંપરા પ્રચલિત થઈ રહી છે, તેનો યુદ્ધ નીતિની દ્રષ્ટિથી વોરધ કરવો પોતાનું કર્તવ્ય માને છે. તેનો અર્થ એ નથી કે તેઓ તેમની દેશભક્તિ અથવા તેમની કઠોર તપસ્યાના મૂલ્યને નકારી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રહિત માટે પોતાનો બુદ્ધિવાદ પ્રગટ કરવો જ પડશે. અન્ન-જળ છોડવાની આ લહેર આવી જ રીતે ફેલાતી રહેશે તો આ રાષ્ટ્રનું મુખ્ય લક્ષ્ય સ્વતંત્રતા પ્રાપ્તિને નુકસાન પહોંચશે.
ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓના જેલમાં રાજકીય બંદી તરીકેની માન્યતા સાથેના અનશન સંદર્ભે પણ સાવરકરે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે શસ્ત્ર વિપક્ષનું નુકસાન ન કરે, ઉલટું પોતાના જ પક્ષનું નુકસાન કરે, તે શસ્ત્ર જ નથી અને માટે તેનો ઉપયોગ કરનારો કુશળ યોદ્ધા માની શકાય નહીં. અનશનની બંદૂકનું નિશાન વિપક્ષ પર નહીં, પરંતુ સ્વપક્ષ પર જ લાગે છે. આ વિશ્વાસઘાતની બંદૂક, આ અનશન, આ ગુસ્સા આ બધી બાબતો પાછળ હેતુ ઉદાત્ત છે, પરંતુ વિચાર પ્રક્રિયા ખોટી છે. માટે આ બધું આત્મનાશનું કારણ બની જશે. આ અનશનને કારણે આપણે એક-બે અથવા દસ-વીસ ભગતસિંહ ગુમાવવા પડશે, તો વિપક્ષને શા માટે દુ:ખ થશે? તેમને થશે તો સુખ જ, કારણ કે વિદેશી સત્તાના રસ્તામાં બિછાવાયેલા કાંટાને તમે ખુદે જ ઉખાડીને ફેંકી દીધા છે. વિચારો કે જો હરણ સિંહના દરવાજા પર જઈને અનશન કે સત્યાગ્રહ કરવા લાગે તો સિંહ તેને ખાવા માટે મનાવવા લાગશે અથવા ખુશીથી તેને પોતાના પેટમાં પધરાવીને ભૂખને શાંત કરશે? સિંહ ડરે છે તો માત્ર શિકાર થવાથી. હરણોના અનશનતી નહીં. સાવરકરના મતે અન્ન ત્યાગથી પોતાને મોતના મોઢામાં ધકેલવાની વાત આત્મઘાતી પાગલપણું છે.
હિંદુસ્થાને અસંભવ આદર્શોની પાછળ પડીને પોતાનું જીવન, પોતાનું ચરિત્ર નષ્ટ કર્યું છે અને કરી રહ્યું છે. ગાંધીજીએ ફરીથી અસંભવ આદર્શોને આપણી સામે મુકી દીધા. અહિંસા, સંપૂર્ણ અહિંસા તેમની કલ્પનામાં છે. સાચી વાત તો એ છે કે ગાંધી ખુદ પણ પૂર્ણ અહિંસક ન હતા અને ન તો તેઓ પૂર્ણ અહિંસક બની શકે. કોઈપણ વ્યક્તિ જીવિત રહેતા પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ખુદ ગાંધી પણ પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ગાંધીવાદીઓની વાત તો દૂરની છે, ખુદ ગાંધી પણ પૂરા ગાંધીવાદી નથી, ન થઈ શકે. જીવિત રહેવું છે, તો હિંસા અનિવાર્ય છે. કોઈપણ એક ક્ષણ માટે પણ હિંસા વગર રહી શકે તેમ નથી. જે વાતોને આપણે અહિંસાનું નામ આપીએ છીએ, તે પણ હિંસાનું જ રૂપ છે.
જો કોઈ તમારી છાતી પર છરો લઈને ઉભો રહી જાય અને તમને કહે કે તે જે કહે છે તે તમારે કરવાનું છે. તો તે હિંસાનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ જો તે વ્યક્તિ પોતાના ગળા પર છરો મૂકીને તમને કહે કે તે કહે તે કરવાનું છે, નહીં તો તે છરો પોતાના પર ચલાવી દેશે. તો અહીં માત્ર હિંસાની દિશા બદલાઈ છે. પહેલા કિસ્સામાં હિંસાની દિશા તમારા તરફ હતી, તે બીજી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાની તરફ કરી દીધી છે. ગાંધીજીએ જેટલી વખત ખુદને મારવાની ધમકી આપી, એકપણ વ્યક્તિનું હ્રદય પરિવર્તન થયું નથી. ડૉ. આંબેડકરે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું હ્રદય પરિવર્તન જરા પણ થયું નથી, પરંતુ માત્ર એમ વિચારીને કે ગાંધી જેવા કિંમતી વ્યક્તિ ન મરી જાય, તેના માટે તેઓ નમ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ જે માને હતા, તે તેઓ માને છે. તેમનું માનવું તેમ જ છે.
ગાંધીજી અનશન કરીને કોને નમાવી શક્યા? કોને પોતાના ઉપવાસથી સમજાવી શક્યા? કોનું હ્રદય પરિવર્તન કરી શક્યા? પરંતુ ખુદને મારવાની ધમકીથી લોકમાનસ ભયભીત થયું કે આટલો સારો માણસ ક્યાંક મરી ન જાય. તેમને બચાવવાની કોશિશ કરી. આ પણ એક હિંસા છે, આ પણ બળજબરીપૂર્વકનું દબાણ છે. આમ ગાંધીજી પણ પૂર્ણપણે અહિંસક ન હતા, ન થઈ શકે.
વળી ધ્યાન રાખવાની વાત એ પણ છે કે જ્યારે પૂર્ણ અહિંસા પર જોર આપવામાં આવશે, ત્યારે તેના પરિણામ ઘણાં ઘાતક હશે. હિંદુસ્થાનમાં ગાંધીજીએ પૂર્ણ અહિંસા પર જોર આપ્યું, અને હિંદુસ્થાન ગાંધીજીની આંખો સામે એટલી મોટી હિંસાના તબક્કામાંથી પસાર થયું કે તેનો કોઈ હિસાબ લગાવી શકાય તેમ નથી. દસ લાખથી પણ વધારે લોકો હિંદુસ્થાના ભાગલા વખતે કાળનો ગ્રાસ બની ગયા હતા. દસ લાખ લોકો આ આંદોલનની પૂર્ણાહુતિ વખતે મર્યા કે જે અહિંસક હતું. ખુદ ગાંધીની હત્યા પણ હિંસાથી થઈ, તે પણ વિચારણીય બાબત છે.
ગાંધીજીના પ્રખર અનુયાયી અને સમાજવાદી ડૉ. રામ મનોહર લોહિયા તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ પણ અનશનના વિરોધી હતા. ડૉ. રામ મનોહર લોહિયાના માનવા પ્રમાણે, અનશન વ્યક્તિવાદ અને પાખંડને પ્રોત્સાહન આપે છે. તો જયપ્રકાશ નારાયણ પણ માનતા કે અનશનથી મુદ્દા પાછા ધકેલાઈ જાય છે અને અનશન કરનાર વ્યક્તિ ચર્ચામાં આવી જાય છે. લોહિયાએ સિવિલ નાફરમાનીની વાત કરીને અહિંસક રસ્તે આંદોલન ચલાવવાની વાત કરી હતી. તો જયપ્રકાશ નારાયણે પણ અહિંસક રીતે સંપૂર્ણ ક્રાંતિ કરવાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે અલખ જગાવી હતી.
શ્રી શ્રી રવિશંકરે સ્પષ્ટ કહ્યું છે કે અનશનના આંદોલન માટે સમાજ અને સરકારનું સંવેદનશીલ હોવુ જરૂરી છે. સમાજની સંવેદનશીલતા હાલ ‘પેસિવ’ છે. પરંતુ સરકાર તદ્દન અસંવેદનશીલ છે. કારણ કે ગંગા નદીના કિનારે ચાલતા ક્રશર બંધ કરાવવા અને તેના શુદ્ધિકરણની માગણી સાથે 115 દિવસ સુધી અનશન કરનારા સ્વામી નિગમાનંદનું મૃત્યુ તેનુ સૌથી મોટું ઉદાહરણ છે. તો બાબા રામદેવના 9 દિવસના અનશન વખતે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનો ચહેરો દિગ્વિજય સિંહ જેવા નેતાઓના નિવેદનોથી લોકો સામે ખુલ્લો પડયો છે. અણ્ણાએ 15 ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ ન બને, તો અન્ના હજારે 16 ઓગસ્ટથી ફરીથી બીજી આઝાદીની લડાઈ લડવા માટે અનશન પર બેસવાના છે. જો કે તેમને પણ શંકા છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે પણ બાબા રામદેવની જેમ સખ્તાઈ કરવાની છે.
ત્યારે અત્યારના સમયમાં આંદોલન માટેની લોકતાંત્રિક રીતોની પુન:સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શું અનશન હકીકતમાં આંદોલનનું લોકતાંત્રિક હથિયાર છે કે માત્ર તાયફો છે? અત્યાર સુધીમાં થયેલા અનશનમાં મોટાભાગે મુદ્દા પ્રત્યે સત્તામાં રહેલી સરકારને સહાનુભૂતિ હોય, તો જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. બાકીના તમામ અનશન કરનારાઓને જીવનથી હાથ ધોવા પડયા છે. શા માટે દેશમાં આટલા આતંકવાદી હુમલાઓ બાદ સશક્ત આતંકવાદ વિરોધી કાયદો બનાવવા માટે અનશન કરવામાં આવ્યા નથી? પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી ભારતની પ્રભુસત્તા નીચે લાવવાની માગણી સાથે અનશન શા માટે થતા નથી? સંસદ પરના હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા માટે અનશન શા માટે થતા નથી? મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે મોંઘાવારીને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાની માગણી સાથે કોઈ અનશન શા માટે થતા નથી? ચૂંટણી સુધારા, રાજકીય પક્ષોમાં લોકતંત્ર, નક્સલવાદ પર લગામ, વોટબેંકની રાજનીતિ વગેરે મુદ્દાઓને લઈને ક્યારેય કોઈ અનશન શા માટે કરાયા નથી? લાગે છે કે ભારતના નવા અનશનવીરો આ વાતની પણ નોંધ લેશે.
પરંતુ ગાંધીજીના જે અનુયાયીઓ સત્તામાં ગયા, તેમને સત્તામાં ગયા પછી ખબર પડી કે સત્તા અસત્ય અને હિંસાથી ચાલે છે. તેમા તેમને પોતાનો ફાયદો પણ દેખાયો. સત્તાને હિંસા અને અસત્યથી ચલાવવા માટે સત્તામાં આવેલા ગાંધીવાદીઓએ બેવડું વ્યક્તિત્વ ગ્રહણ કરી લીધું. તેઓ રોજે રોજ હિંસામાં ઉંડા ઉતરતા ગયા, અસત્યમાં જીવવા લાગ્યા. જો કે આ ગાંધીવાદીઓએ વાતો સત્ય અને અહિંસાની વધુ જોરથી કરવા માંડી. એટલા જોરથી કરવી જરૂરી હતી, જેથી તેઓ જે કરી રહ્યા છે, તે છુપાય જાય.
63 વર્ષની આઝાદીમાં હિંદુસ્તાનની અહિંસક સરકારે જેટલી હત્યા અને ખૂન કર્યા છે અને જેટલી ગોળીઓ ચલાવી છે, તેટલી દુનિયાની કોઈપણ હિંસાવાદી સરકાર પણ આટલી હિંસા કરવાનો દાવો કરી શકે તેમ નથી. ઉપર ઉપરથી અહિંસાની વાત ચાલતી રહી અને અંદરખાને હિંસાનો નગ્ન નાચ ચાલ્યો. બહારથી સત્યની વાત કરાતી રહી, પરંતુ અંદર ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો. ભારતમાં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ સત્તાની દોડમાં ગાંધીવાદીઓએ તમામ પ્રકારના અસત્યનો સ્વીકાર કરી લીધો છે. અપરિગ્રહ અને દરિદ્રતાના વરણની વાતો ચાલતી રહી અને તમામ પ્રકારની સંપત્તિ અને બધાં પ્રકારના લોભ તથા પરિગ્રહ કામ કરતા ચાલ્યા ગયા.
યુદ્ધ લડતી સેનાનું મુખ્ય લક્ષ્ય વિજય હોય છે. માત્ર એ જ યુદ્ધકળા સાચી હોય છે કે જે ન્યાય પક્ષની ઓછામાં ઓછી અને અન્યાય પક્ષની વધુમાં વધુ હાનિ કરે છે. ક્યારેક બલિદાન પણ આ યુદ્ધકળાનું એક અત્યંત જરૂરી ઘટક હોય છે, પરંતુ તે અપવાદના રૂપમાં સ્વીકારી શકાય, નિયમ તરીકે નહીં. પરંતુ માત્ર બલિદાનથી જ નિશ્ચિતપણે વિજય મળી જશે તેવું કહી શકાય નહીં. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેમાં સીતાના અપહરણ કરવાની દુષ્ટતા અને નીચતા હતી, તે વખતે જો રાવણની સામે રામે ઉપવાસ કરીને પ્રાણ આપવાની વાત કરી હોત તો નઠારા રાવણનું હ્રદય પીગળી જાત? ના! માટે જ રામે અન્ન-જળનો ત્યાગ કરવાની વાત કરી ન હતી. તેમણે રાવણના મોઢામાંથી કોળિયો છીનવીને તેને ભૂખ્યો મારવાની તૈયારી કરી હતી. સીતાએ પણ, અશોક વનમાં પોતાને ભોજન જોઈએ અથવા યોગ્ય સમ્માન જોઈએ, નહીં તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરીને મરી જશે, તેવી કોઈ પ્રતિજ્ઞા કરી ન હતી. કારણ કે તેમનું મુખ્ય લક્ષ્ય રામ દ્વારા રાવણનો નાશ કરવો અને તેના માટે અન્ન-જળનો ત્યાગ કરવાનું કૃત્ય બિનજરૂરી અને હાનિકારક હતું. સીતાએ એક પ્રતિજ્ઞા અવશ્ય કરી હતી કે તેમનું પ્રીતિ સ્વાતંત્ર્ય પાતિવ્રત્ય અબાધ રહે. આ પ્રતિજ્ઞા પર આંચ આવવાથી પણ પ્રાણ બચાવવાનો અર્થ મુખ્ય લક્ષ્યથી વિચલિત થવાનો હતો. આવી સંભવિત સ્થિતિમાં સીતા મોતને વહાલું કરીને પણ પોતાની પ્રતિજ્ઞા નિભાવત. ગુરુ તેગ બહાદૂર, બંદા વીર, સંભાજી મહારાજનું મુખ્ય લક્ષ્ય સ્વધર્મ રક્ષણ હતું. આ લક્ષ્ય માટે પ્રાણ આપવા જ્યારે જરૂરી થઈ પડયા ત્યારે તેમણે જીવનનો ત્યાગ કર્યો અને તે પરિસ્થિતિમાં તે યોગ્ય પણ હતું.
સ્વાતંત્ર્ય વીર સાવરકરે અન્ન-જળ ત્યાગવાની વાતનો પ્રખર વિરોધ કર્યો હતો. તેમના માનવા પ્રમાણે, પ્રાણહાનિ માટે પ્રાણહાનિ અનિષ્ટકારક છે. આ દ્રષ્ટિથી અન્ન-જળ છોડીને મરી જવાની નવી પરંપરા પ્રચલિત થઈ રહી છે, તેનો યુદ્ધ નીતિની દ્રષ્ટિથી વોરધ કરવો પોતાનું કર્તવ્ય માને છે. તેનો અર્થ એ નથી કે તેઓ તેમની દેશભક્તિ અથવા તેમની કઠોર તપસ્યાના મૂલ્યને નકારી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રહિત માટે પોતાનો બુદ્ધિવાદ પ્રગટ કરવો જ પડશે. અન્ન-જળ છોડવાની આ લહેર આવી જ રીતે ફેલાતી રહેશે તો આ રાષ્ટ્રનું મુખ્ય લક્ષ્ય સ્વતંત્રતા પ્રાપ્તિને નુકસાન પહોંચશે.
ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓના જેલમાં રાજકીય બંદી તરીકેની માન્યતા સાથેના અનશન સંદર્ભે પણ સાવરકરે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે શસ્ત્ર વિપક્ષનું નુકસાન ન કરે, ઉલટું પોતાના જ પક્ષનું નુકસાન કરે, તે શસ્ત્ર જ નથી અને માટે તેનો ઉપયોગ કરનારો કુશળ યોદ્ધા માની શકાય નહીં. અનશનની બંદૂકનું નિશાન વિપક્ષ પર નહીં, પરંતુ સ્વપક્ષ પર જ લાગે છે. આ વિશ્વાસઘાતની બંદૂક, આ અનશન, આ ગુસ્સા આ બધી બાબતો પાછળ હેતુ ઉદાત્ત છે, પરંતુ વિચાર પ્રક્રિયા ખોટી છે. માટે આ બધું આત્મનાશનું કારણ બની જશે. આ અનશનને કારણે આપણે એક-બે અથવા દસ-વીસ ભગતસિંહ ગુમાવવા પડશે, તો વિપક્ષને શા માટે દુ:ખ થશે? તેમને થશે તો સુખ જ, કારણ કે વિદેશી સત્તાના રસ્તામાં બિછાવાયેલા કાંટાને તમે ખુદે જ ઉખાડીને ફેંકી દીધા છે. વિચારો કે જો હરણ સિંહના દરવાજા પર જઈને અનશન કે સત્યાગ્રહ કરવા લાગે તો સિંહ તેને ખાવા માટે મનાવવા લાગશે અથવા ખુશીથી તેને પોતાના પેટમાં પધરાવીને ભૂખને શાંત કરશે? સિંહ ડરે છે તો માત્ર શિકાર થવાથી. હરણોના અનશનતી નહીં. સાવરકરના મતે અન્ન ત્યાગથી પોતાને મોતના મોઢામાં ધકેલવાની વાત આત્મઘાતી પાગલપણું છે.
હિંદુસ્થાને અસંભવ આદર્શોની પાછળ પડીને પોતાનું જીવન, પોતાનું ચરિત્ર નષ્ટ કર્યું છે અને કરી રહ્યું છે. ગાંધીજીએ ફરીથી અસંભવ આદર્શોને આપણી સામે મુકી દીધા. અહિંસા, સંપૂર્ણ અહિંસા તેમની કલ્પનામાં છે. સાચી વાત તો એ છે કે ગાંધી ખુદ પણ પૂર્ણ અહિંસક ન હતા અને ન તો તેઓ પૂર્ણ અહિંસક બની શકે. કોઈપણ વ્યક્તિ જીવિત રહેતા પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ખુદ ગાંધી પણ પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ગાંધીવાદીઓની વાત તો દૂરની છે, ખુદ ગાંધી પણ પૂરા ગાંધીવાદી નથી, ન થઈ શકે. જીવિત રહેવું છે, તો હિંસા અનિવાર્ય છે. કોઈપણ એક ક્ષણ માટે પણ હિંસા વગર રહી શકે તેમ નથી. જે વાતોને આપણે અહિંસાનું નામ આપીએ છીએ, તે પણ હિંસાનું જ રૂપ છે.
જો કોઈ તમારી છાતી પર છરો લઈને ઉભો રહી જાય અને તમને કહે કે તે જે કહે છે તે તમારે કરવાનું છે. તો તે હિંસાનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ જો તે વ્યક્તિ પોતાના ગળા પર છરો મૂકીને તમને કહે કે તે કહે તે કરવાનું છે, નહીં તો તે છરો પોતાના પર ચલાવી દેશે. તો અહીં માત્ર હિંસાની દિશા બદલાઈ છે. પહેલા કિસ્સામાં હિંસાની દિશા તમારા તરફ હતી, તે બીજી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાની તરફ કરી દીધી છે. ગાંધીજીએ જેટલી વખત ખુદને મારવાની ધમકી આપી, એકપણ વ્યક્તિનું હ્રદય પરિવર્તન થયું નથી. ડૉ. આંબેડકરે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું હ્રદય પરિવર્તન જરા પણ થયું નથી, પરંતુ માત્ર એમ વિચારીને કે ગાંધી જેવા કિંમતી વ્યક્તિ ન મરી જાય, તેના માટે તેઓ નમ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ જે માને હતા, તે તેઓ માને છે. તેમનું માનવું તેમ જ છે.
ગાંધીજી અનશન કરીને કોને નમાવી શક્યા? કોને પોતાના ઉપવાસથી સમજાવી શક્યા? કોનું હ્રદય પરિવર્તન કરી શક્યા? પરંતુ ખુદને મારવાની ધમકીથી લોકમાનસ ભયભીત થયું કે આટલો સારો માણસ ક્યાંક મરી ન જાય. તેમને બચાવવાની કોશિશ કરી. આ પણ એક હિંસા છે, આ પણ બળજબરીપૂર્વકનું દબાણ છે. આમ ગાંધીજી પણ પૂર્ણપણે અહિંસક ન હતા, ન થઈ શકે.
વળી ધ્યાન રાખવાની વાત એ પણ છે કે જ્યારે પૂર્ણ અહિંસા પર જોર આપવામાં આવશે, ત્યારે તેના પરિણામ ઘણાં ઘાતક હશે. હિંદુસ્થાનમાં ગાંધીજીએ પૂર્ણ અહિંસા પર જોર આપ્યું, અને હિંદુસ્થાન ગાંધીજીની આંખો સામે એટલી મોટી હિંસાના તબક્કામાંથી પસાર થયું કે તેનો કોઈ હિસાબ લગાવી શકાય તેમ નથી. દસ લાખથી પણ વધારે લોકો હિંદુસ્થાના ભાગલા વખતે કાળનો ગ્રાસ બની ગયા હતા. દસ લાખ લોકો આ આંદોલનની પૂર્ણાહુતિ વખતે મર્યા કે જે અહિંસક હતું. ખુદ ગાંધીની હત્યા પણ હિંસાથી થઈ, તે પણ વિચારણીય બાબત છે.
ગાંધીજીના પ્રખર અનુયાયી અને સમાજવાદી ડૉ. રામ મનોહર લોહિયા તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ પણ અનશનના વિરોધી હતા. ડૉ. રામ મનોહર લોહિયાના માનવા પ્રમાણે, અનશન વ્યક્તિવાદ અને પાખંડને પ્રોત્સાહન આપે છે. તો જયપ્રકાશ નારાયણ પણ માનતા કે અનશનથી મુદ્દા પાછા ધકેલાઈ જાય છે અને અનશન કરનાર વ્યક્તિ ચર્ચામાં આવી જાય છે. લોહિયાએ સિવિલ નાફરમાનીની વાત કરીને અહિંસક રસ્તે આંદોલન ચલાવવાની વાત કરી હતી. તો જયપ્રકાશ નારાયણે પણ અહિંસક રીતે સંપૂર્ણ ક્રાંતિ કરવાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે અલખ જગાવી હતી.
શ્રી શ્રી રવિશંકરે સ્પષ્ટ કહ્યું છે કે અનશનના આંદોલન માટે સમાજ અને સરકારનું સંવેદનશીલ હોવુ જરૂરી છે. સમાજની સંવેદનશીલતા હાલ ‘પેસિવ’ છે. પરંતુ સરકાર તદ્દન અસંવેદનશીલ છે. કારણ કે ગંગા નદીના કિનારે ચાલતા ક્રશર બંધ કરાવવા અને તેના શુદ્ધિકરણની માગણી સાથે 115 દિવસ સુધી અનશન કરનારા સ્વામી નિગમાનંદનું મૃત્યુ તેનુ સૌથી મોટું ઉદાહરણ છે. તો બાબા રામદેવના 9 દિવસના અનશન વખતે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનો ચહેરો દિગ્વિજય સિંહ જેવા નેતાઓના નિવેદનોથી લોકો સામે ખુલ્લો પડયો છે. અણ્ણાએ 15 ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ ન બને, તો અન્ના હજારે 16 ઓગસ્ટથી ફરીથી બીજી આઝાદીની લડાઈ લડવા માટે અનશન પર બેસવાના છે. જો કે તેમને પણ શંકા છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે પણ બાબા રામદેવની જેમ સખ્તાઈ કરવાની છે.
ત્યારે અત્યારના સમયમાં આંદોલન માટેની લોકતાંત્રિક રીતોની પુન:સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શું અનશન હકીકતમાં આંદોલનનું લોકતાંત્રિક હથિયાર છે કે માત્ર તાયફો છે? અત્યાર સુધીમાં થયેલા અનશનમાં મોટાભાગે મુદ્દા પ્રત્યે સત્તામાં રહેલી સરકારને સહાનુભૂતિ હોય, તો જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. બાકીના તમામ અનશન કરનારાઓને જીવનથી હાથ ધોવા પડયા છે. શા માટે દેશમાં આટલા આતંકવાદી હુમલાઓ બાદ સશક્ત આતંકવાદ વિરોધી કાયદો બનાવવા માટે અનશન કરવામાં આવ્યા નથી? પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી ભારતની પ્રભુસત્તા નીચે લાવવાની માગણી સાથે અનશન શા માટે થતા નથી? સંસદ પરના હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા માટે અનશન શા માટે થતા નથી? મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે મોંઘાવારીને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાની માગણી સાથે કોઈ અનશન શા માટે થતા નથી? ચૂંટણી સુધારા, રાજકીય પક્ષોમાં લોકતંત્ર, નક્સલવાદ પર લગામ, વોટબેંકની રાજનીતિ વગેરે મુદ્દાઓને લઈને ક્યારેય કોઈ અનશન શા માટે કરાયા નથી? લાગે છે કે ભારતના નવા અનશનવીરો આ વાતની પણ નોંધ લેશે.
No comments:
Post a Comment